Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

મોરબીમાં સગીર પરમ પંડ્યાનો ફાંસો ખાઇ આપઘાત : કારણ અંગે તપાસ

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૧૭: મોરબીના સામાકાંઠે આવેલ સોસાયટીમાં રહેતા વિપ્ર પરિવારના ૧૬ વર્ષના સગીરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી છે.

મોરબીના ગોપાલ સોસાયટીના રહેવાસી પરમ જયેશભાઈ પંડ્યા (ઉ.વ.૧૬) નામના સગીરે કોઈ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે જે બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને સગીરે કયાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

(1:11 pm IST)