Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

વાંકાનેરમાં બે વ્યાજખોરોએ ધમકી આપી માર મારતા મુસ્તફા વોરાએ ફિનાઇલ પી લીધુ

ફરીયાદ બાદ પોલીસે તુર્ત જ વ્યાજખોર અનીલ તથા ઘના ભરવાડને દબોચી લીધા

(મદમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. ૧૬ :  બે વ્યાજખોરોના ત્રાસથી યુવાને ફિનાઇલ પી લીધુ હતુ. આ અંગે ફરીયાદ થતા પોલીસે તુર્ત જ બન્ને વ્યાજખોરોની ધરપકડ કરી હતી.

જાણવા મળતી વિગત મુજબ વોરા વાંકાનેરમાં રહેતા વોરા મુસ્તુફા ગઇકાલે પોતાના ઘરે હતો ત્યારે વ્યાજકવાદી અનીલ ભુરા તથા ધનાભાઇ મોનાભાઇ ભરવાડએ મુસ્તુફા વોરાને ધમકાવી ભંગાર વેચવા માટે રૂ. ૮૦ હજાર અને વ્યાજની રકમ આપવા જણાવતા હતું. વ્યાજ ચુકવણું થઇ ગયેલ છે બાકીની રકમ તમોને મળી જશે તેવું જણાવતા આરોપી ઉશ્કેરાઇ જઇને ફરીયાદીને મારામારી ઇજા કરતા ફરીયાદી વ્યાજકવાદીઓથી ડરી જઇને દબાણના કારણે પોતાના ઘેર ફીનાઇલ ઝેરી દવા પી જતા તેને વાંકાનેર સરકારી  દવાખાને સારવારમાં દાખલ થતાની સાથે વાંકાનેર પી આઇ સરવૈયાની સુચના મુજબ પોલીસ ગુના રજી. નં. ૧૧૩ બી ર૧ મુજબ ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી લીધા બાદ તપાસ પીએસઆઇ બી.ડી. જાડેજાએ હાથ ધરી છે.  વાંકાનેર અને તાલુકામાં વ્યાજંકવાદીઓ પોલીસ મીઠી નજર હેઠળ બેફામ બન્યા છે. 

(12:00 pm IST)