Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

ધોરાજીમાં અકસ્‍માતને નોતરૂ આપતા ખાડા

ધોરાજીઃ જેતપુર અને અન્‍ય રોડ જમનાવડ રોડ જૂનાગઢ રોડ પર મસમોટા ખાડાઓ પડેલ છે. જેમાં વાહન ચાલકો વૃદ્ધા, વિદ્યાર્થીઓને ચાલવામાં ખૂબ જ મુશ્‍કેલીઓ થાય છે અને આવા ખાડાઓમાં અકસ્‍માત થાય અને ઈજાઓ અથવા મોત થાય તો જવાબદારી કોની ? તંત્ર દ્વારા લાખો રૂપિયાનો વાહન ટેકસ ચૂકવે છે અને અવારનવાર રોડમાં ખાડાઓ પડે અને લોકો આંદોલન કરે ને તંત્ર દ્વારા થીગડા મરાઈ આવુ ક્‍યાં સુધી ! તંત્ર દ્વારા સારા રોડ બનાવવા જોઈએ. જો આવનારા સમયમાં રોડનું કામ નહી ચાલુ કરવામાં આવે તો લોકો ફરી વિરોધ કરશે.

 

(10:25 am IST)