Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

સુરેન્દ્રનગર : પાંચ દર્દીઓ કોરોના મુકત બન્યા

સુરેન્દ્રનગર :  સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના વતની ઈકબાલભાઈ, કાશીબેન, ધનગૌરી કેશવલાલ, કૈલાશબેન અને જીવાભાઈને ગત દિવસોમાં કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સુરેન્દ્રનગર સ્થિત કોવિડ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સઘન સારવાર બાદ આ પાંચ દર્દીઓને તાવ, શરદી, ખાંસી જેવા કોઇ લક્ષણો ન જણાતા  તેમને તારીખ ૧૬ના રોજ કોવિડ હોસ્પિટલમાંથી રજા આપી છે.

(11:40 am IST)