Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

કચ્છના ખિરોઇ પાસે બે ટ્રક વચ્ચે અકસ્માતમાં ઘવાયેલા યુવાનનું મોત

મરકંદી ચૌહાણએ રાજકોટની હોસ્પિટલમાં દમ તોડયો

રાજકોટ તા.૧૭: કચ્છના અંજાર નજીક ખિડોઇ ગામ પાસે ટ્રકની પાછળ બીજો ટ્રક ઘુસી જતા ગાંધીધામના યુવાનનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મોત નિપજ્યુ હતું.

મળતી વિગત મુજબ ગાંધીધામમાં રહેતા મરકંદીભાઇ રામદેવભાઇ ચૌહાણ (ઉ.વ.૩૭) ગત તા.૧૪ના રોજ પોતાનો ટ્રક લઇને મુંદ્રાથી અમદાવાદ જતા હતા. ત્યારે અંજાર નજીક ખિડોઇ ગામ પાસે આગળ જતા ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારતા મરકંદી ભાઇનો ટ્રક પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ચાલક મરકંદીભાઇને ઇજા થતા સારવાર માટે રાજકોટની ગોકુળ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. આ અંગે એડીવીઝન પોલીસ મથકના હેડકોન્સ રાજેશભાઇ સોલંકી અને રાઇટર દેવાંગભાઇએ પ્રાથમીક કાગળો કરી અંજાર મોકલ્યા છે.

(12:41 pm IST)