Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

સૂત્રાપાડામાં અખિલ સોરઠિયા પ્રજાપતિ સમાજનું સંમેલનઃ સન્માન સમારોહ

સુત્રાપાડા તા.૧૭: શ્રી અખિલ સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ શ્રી બાઇ આશ્રમ-તાલાલા દ્વારા ૬૯મુ અર્ધવાર્ષિક સંમેલન આજરોજ તાજેતરમાં ટ્રસ્ટ પ્રમુખ ગોકળભાઇ ડાભીના અધ્યક્ષ સ્થાને શ્રી બાઇ ધામ-તાલાલા ખાતે સફળતા પૂર્વક સંપન્ન થયેલ છે. આ સંમેલનમાં જ્ઞાતિના સર્વાગી વિકાસ માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ સાથે સાથે જ્ઞાતિ રત્નો તેમજ પ્રજાપતિ સમાજના તેજસ્વી તારલાઓનું વિશેષ સન્માન કરવામાં આવેલ. મંદિર નિર્માણ કાર્યના મુખ્ય દાતા એવા વિજયભાઇ ગોહેલ, જૂનાગઢ કોર્પોરેશનના મેયર ધીરૂભાઇ ગોહેલ, વેરાવળ સીટી મામલતદાર પ્રજાપતિ હરસુખભાઇ ચાંદેગાર સાહેબ, પ્રજાપતિ સમાજની પ્રદેશ મહિલા અગ્રણીઓ ઉષાબેન કુસકિયા તથા વર્ષાબેન વડુકર, પરસોતમભાઇ લાડવા, ગોવિંદભાઇ પ્રજાપતિ, ગીગાભાઇ ચાવડા, મુકેશભાઇ દેવળીયા, પરષોતમભાઇ ચાવડા, ગોરધનભાઇ ટાંક, જેન્તીભાઇ લાડવા ઓધવજીભાઇ વાઘેલા વિગેરે ટ્રસ્ટીઓ સહિતનાં સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અખિલ ભારતીય પ્રજાપતિ કુંભાર મહાસંઘના ઉપાધ્યક્ષ અને વેરાવળના જાણીતા મહિલા એડવોકેટ અને ભારત સરકારના નોટરી એવા ઉષાબેન કુસકિયા અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહી તેજસ્વી તારલાઓને ઇનામો સાથે શિલ્ડ આપી વિશેષ સન્માન કરવામાં આવેલ. સંસ્થાના ઉપપ્રમુખશ્રી દેવજીભાઇ ડાભી દ્વારા આ સંમેલનમાં ઉપસ્થિત તમામની આભારવિધી સાથે આભાર વ્યકત કરી સંમેલનનાં સુંદર આયોજન બદલ તમામ આયોજકોને અભિનંદન પાઠવેલ.

(12:39 pm IST)