Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

વાંકાનેરમાં રખડતા ઢોર અને ગંદકીથી લોકો ત્રાહીમામ

વાંકાનેર : પુલ દરવાજા કે જયાં બહારગામથી આવતા વાહનો અને શહેરનો  મુખ્ય રસ્તો છે ત્યાં આ રખડતા ઢોરથી રાહદારીઓ અને વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ગયેલ છે. પાલિકા રખડતા ઢોર પ્રશ્ને યોગ્ય કરે તેવી માગણી ઉઠી છે. શહેરમાં ભુગર્ભ ગટરના ગંદા પાણીને લીધે નર્ક જેવી સ્થિતી છે. રાતી દેવડી રોડ નજીક ગટરના ગંદા પાણી મચ્છુ નદીમાં ઠલવાય છે. રોગચાળાનો ભય ઉભો થયો છે. રખડતા ઢોર અને નદીમાં ઠલવાતા ગંદા-પાણીની તસ્વીરો. (તસ્વીર - અહેવાલ : મહમદભાઇ રાઠોડ વાંકાનેર)

(12:35 pm IST)