Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

ટંકારા તાલુકા રાજપૂત સમાજના પ્રમુખપદે જાડેજાની વરણી

ટંકારા તા.૧૭ : તાલુકા રાજપૂત સમાજના હોદ્દેદારોની તાજેતરમાં વરણી કરાયેલ.

તેમાં પ્રમુખપદે વિરપરના અગ્રણી શ્રી પ્રધ્યુમન જાડેજાની વરણી કરાયેલ ઉપપ્રમુખ તરીકે જોધપર ઝાલાના જયપાલસિંહ ગાંડુભા ઝાલા તથા મંત્રી તરીકે મેઘપર ઝાલાના વિજયસિંહ કિરીટસિંહ ઝાલાની વરણી કરાયેલ છે.

રાજપુત સમાજ તથા અન્ય સમાજના હોદ્દેદારો, પદાધિકારીઓ દ્વારા અભિનંદનની વર્ષા કરાયેલ.

(12:33 pm IST)