Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

૬ મહિના પહેલા લગ્ન કરનાર ભાવનગરના પરિણીતાનો પતિ-સાસુના ત્રાસથી આપઘાત

 ભાવનગર તા.૧૭: ભાવનરગમાં હજુ છ માસ પુર્વે જ લગ્ન કરનાર પરિણીતાએ પતિ અને સાસુનાં ત્રાસથી કંટાળી જાતે કેરોસીન છાંટી સળગી જઇ આપઘાત વહોરી લીધો હતો.

બનાવની વિગતો એવી છે કે, શહેરનાં તિલકનગર વિસ્‍તારમાં રહેતાં અને છ માસ પહેલાં જ લગ્ન કરનાર કવિતાબેન પ્રકાશભાઇ મકવાણા ને લગ્ન બાદ પતિ પ્રકાશ મફાભાઇ તથા સાસુ રંભાબેન મફાભાઇ કોઇપણ કારણોસર શારીરિક-માનસીક ત્રાસ આપતાં હોય કવિતાબેન કંટાળી જઇ તેનાં ઘેર જાતે કેરોસીન છાંટી સળગી જઇ આપઘાત વહોરી લીધો હતો. આ બનાવ અંગે મૃતક કવિતાબેનનાં ભાઇ રાહુલભાઇ જેન્‍તીભાઇ સાપરીયાએ બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્‍હો નોંધી તપાસ હાથ ધરી છે.

(1:15 pm IST)