Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

મીઠાપુર સુરજકરાડીમાં ભગવાન શ્રી ગણપતિ મહારાજના વધામણા

મીઠાપુરઃ હાલમાં ગણેશચતુર્થીના પવિત્ર દિવસો ચાલતા હોય દેવભૂમિ દ્વારકા જીલ્લાના મીઠાપુર અને સુરજકરાડીની ધર્મપ્રેમી જનતા દ્વારા પણ ઠેર ઠેર મંદિરો, પોતાના નિવાસસ્થાનો તેમજ સોસાયટીના પટાંગણમાં ભગવાન શ્રી ગણપતિ મહારાજની સ્થાપ્નાઓ કરવામાં આવી છે. કે જેમાં સવારે અને સાંજે આરતી તેમજ પ્રસાદ વિતરણ તેમજ કથાઓ જેવા સુંદર આયોજનો કરવામાં આવ્યા છે. ખુબજ ધાર્મિક વાતાવરણ વચ્ચે લોકો બાપાના આશીર્વાદ લેવા ઉમટી પડે છે. (તસ્વીરઃ અહેવાલઃ દિવ્યેશ જટણીયા મીઠાપુર)(૧૭.૨)

(12:09 pm IST)