Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

સાળંગપુર શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્‍ય ડ્રાયફ્રુટ વાઘાનો શણગારઃ અન્નકૂટ અર્પણઃ ભવ્‍ય ષોડશોપચાર પૂજન તથા તિરંગા વિતરણ

ભાવનગર : શ્રી સ્‍વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વ વિખ્‍યાત સાળંગપુરધામમાં શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ. શાષાી સ્‍વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) ની શુભ પ્રેરણાથી એવં કોઠારી શ્રી વિવેકસાગરદાસ સ્‍વામીના માર્ગદર્શન થી શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્‍ય ડ્રાયફ્રુટ વાઘાનો શણગાર ધરાવવામાં આવેલ. પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ'  India@75 ની શરૂઆત સ્‍વરૂપે ભારત સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મંદિરના ચોકમાં ગામેગામના હરિભકતો માટે તિરંગા વિતરણ કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં મુખ્‍ય મહેમાન નીલ નિતિશ મુકેશ-બોલીવુડ ફિલ્‍મસ્‍ટાર તથા ઘનશ્‍યામભાઇ વિરાણી - જીલ્લા પંચાયત પ્રમુખ બોટાદ, સૌરભભાઇ પટેલ, ધારાસભ્‍ય પૂર્વ ઉર્જા મંત્રીશ્રી આત્‍મારામભાઇ પરમાર, ધારાસભ્‍ય શ્રી ગઢડા, શ્રી બીજલ શાહ, જિલ્લા કલેકટર બોટાદ, પી. ડી. પલસાણા, ડીડીઓશ્રી બોટાદ, શ્રી કિશોર બલોલિયા - જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી -બોટાદ, શ્રી ભીખુભાઇ વાઘેલા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી બોટાદ, સુરેશભાઇ ગોધાણી, પ્રભારી શ્રી સુરેન્‍દ્રનગર અતિથિ વિશેષ મહેમાન ઉપસ્‍થિત રહ્યા હતાં. દાદાનું ભવ્‍ય ષોડશોપચાર પૂજન  અભિષેક-મહાઆરતી પ.પૂ. શાષાી સ્‍વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવેલ. ભકતોએ ઓનલાઇન તથા પ્રત્‍યક્ષ દર્શનનો લાભ લઇ ધન્‍યતા અનુભવી હતી. અને પવિત્ર શ્રાવણ માસ નિમિતે વિશ્વ શાંતિ હનુમાન ચાલીસા અને હનુમંત મંત્ર બ્રાહ્મણો દ્વારા યજ્ઞ-પૂજા પાઠ તેમજ દિવ્‍ય સત્‍સંગ કરવામાં આવે છે. (તસ્‍વીર - અહેવાલ : મેઘના વિપુલ હિરાણી-ભાવનગર) 

(11:37 am IST)