Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

ગોંડલના માધાભાઇ ઠુંમરનું અવસાન થતા ચક્ષુદાન કર્યું


 ધોરાજીઃ ગોંડલના પ્રગતિસલ ખેડુતો એવા માધાભાઈ પોપટભાઈ ઠુંમરના અવસાન થતાં પરિવાર જનો એ સ્‍વ. માધાભાઈ ઠુંમરના ચક્ષુદાન કરવાનો નિર્ણય કરી ધોરાજી માનવસેવા યુવક મંડળના ધર્મેન્‍દ્ર બાબરીયા અને સાગર સોલંકીને જાણ કરતા ધોરાજી ની સરકારી હોસ્‍પિટલના અધિક્ષક ડો. જયેશ વસેટીયન અને મેડીકલ અને ટીમ અને માનવ સેવાના કાર્યકર્તા ઓ દ્વારા સ્‍વ. માધાભાઈ ઠુંમર નું ચક્ષુદાન કર્યું અને સ્‍વના ચક્ષુ ઓ રાજકોટ જી . ટી. શેઠ હોસ્‍પિટલ ખાતે માનવ સેવાના કાર્યકર્તા દ્વારા મોકલી આપ્‍યા હતા. આ તકે પ્રવિણભાઈ ઠુંમર, રમેશભાઈ ઠુંમર, સાગરભાઈ ઠુંમર, પાર્થભાઈ ઠુંમર, મયંકભાઈ ઠુંમર, અરવિંદભાઈ રાદડિયા,લાલજીભાઈ શેખડા, રમેશભાઈ સામજીભાઈ ઠુંમર, ગોપાલભાઈ ઠુંમર, કિશોરભાઈ ઠુંમર, દામજીભાઈ સાવલિયા (હળવદ), જયંતીભાઈ સાવલિયા(હડવદ), પ્રમીકભાઈ ગોડલયા તથા પરિવાર જનો એ સ્‍વ ના ચક્ષુદાન કરેલ. આ તકે માનવ સેવાના ધર્મેન્‍દ્ર બાબરીયા અને ભોલાભાઈ સોલંકી તથા હાજર તમામ સ્‍નેહીઓ સ્‍વ. માધાભાઈ ઠુંમર ને શ્રધ્‍ધા સુમન અર્પણ કરેલ હતા. માનવ સેવા યુવક મંડળને ૫૬મું ચક્ષુદાન મળેલ છે.

 

(10:49 am IST)