Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

જામનગરમાં દેવુભા ચોક નજીક ધસી પડેલા મકાનની સ્થળ પર જાત તપાસ કરતા આર.સી.ફળદુઅને ધર્મેન્દ્રસિંહ જાડેજા

જામનગર તા.૧૭ ઓગષ્ટ, જામનગરમાં દેવુભાના ચોક નજીક વાદ્યેરવાડામાં મચ્છીના એક ધંધાર્થીના બે માળનું મકાન રીપેરીંગ દરમિયાન ગઈ કાલે ધસી પડતા મકાન માલિક અને બે કડિયા સહિત ત્રણ દ્યટનાસ્થળે જ દબાઈ ગયા હતા. તે અન્વયે તાત્કાલિક જ તંત્ર દ્વારા લોકોને કાટમાળ હેઠળથી બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. ત્યારે આજરોજ સવારે કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુ અને અન્ન અને નાગરીક પુરવઠા રાજયમંત્રીશ્રી  ધર્મેન્દ્રસિંહ જાડેજાએ સ્થળ પર જઈને પરિસ્થિતિથી વાકેફ થઈ નિરીક્ષણ કરી અને અધિકારીઓને કાટમાળ ખસેડવાની તાત્કાલિક તાકીદ કરી હતી અને આ માટે જોઈતા અન્ય સાધનોની પણ પૂર્તિ કરી સદ્યન રીતે જલ્દીથી કામગીરી કરવા અંગે કહ્યું હતું. મંત્રીશ્રી આર.સી.ફળદુ દ્વારા જણાવાયું હતું કે, આ દ્યટનાની માહિતી રાજયસ્તરે પણ આપવામાં આવી છે તેમજ આ દુઃખદ દ્યટના માટે સરકારશ્રી દ્વારા દિલસોજી વ્યકત કરવામાં આવી છે. દ્યટનાસ્થળે તાત્કાલિક કામગીરી કરી શકાય તે માટે મેયરશ્રી હસમુખ જેઠવા, શાસક પક્ષના નેતા દિવ્યેશ અકબરી, જામનગર મહાનગરપાલિકાના કમિશનર સતીષ પટેલ, એસ.પી. શરદ સિંદ્યલ, ફાયર ચિફ ઓફીસરશ્રી બિશનોઈ પણ હાજર રહ્યા હતા. (તસ્વીર : અહેવાલ : મુકુંદ બદિયાણી - જામનગર)

(3:54 pm IST)