Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

માળીયામિંયાણાની આંગડીયા ચોરીમાં નાસતા ફરતા મદારસિંહને એલસીબીએ ઝડપી લીધો

મોરબી, તા. ૧૭ : માળિયા મિંયાણાની આંગડીયા ચોરીના ગુન્હામાં છ માસથી નાસતા ફરતા આરોપીને મોરબી એલસીબી ટીમે ઝડપી લીધો હતો. નાયબર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ સંદીપસિંહ અને જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાની સુચના હેઠળ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવાની ઝુંબેશમાં એલસીબી પીઆઇ વી.બી.જાડેજાની સુચનાથી પેરોલ ફર્લો સ્કવોડના જયેશભાઇ વાઘેલા, સહદેવસિંહ જાડેજાને મળેલ બાતમીને આધારે માળીયા પોલીસ મથકમાં આંગડીયા ચોરીના ગુન્હામાં છ માસથી નાસતો ફરતો આરોપી મદારસિંહ ધુળસિંહ ઝાલા રહે. સુણસર તા. ચાણસ્મા જી. પાટણ વાળાને મોરબી માળીયા ફાટક પાસેથી એલસીબી ટીમે ઝડપી લઇને માળીયા પોલીસને સોંપ્યો હતો.

(11:40 am IST)