Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

જામનગરનાં જશાપર રોડ ઉપર કારચાલકે હડફેટે લેતા મોત

 જામનગર, તા.૧૭: કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં બાબુભાઈ હાદાભાઈ કાછડીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૬–૮–ર૦૧૮ના કાલાવડ થી જશાપર જતા રોડ પર સાઈનાથ ફાર્મની સામે રોડ પર કાલાવડમાં આ કામના ફરીયાદી બાબુભાઈના ભાઈ મરણ જનાર હંસરાજભાઈ હાદાભાઈ કાછડીયા, ઉ.વ.૬૦ રે. જશાપર વાળાને પોતાનું સ્પલેન્ડર મોટરસાયકલ નં.જી.જે.૧૦ બી.એન.–૦૭૬૪ નું જશાપર થી વાડીએ એકલા જતા હોય ત્યારે આ કામના આરોપી ઈકો કાર નં. જી.જે.૧૦ બી.જી.૮૩રર નો ચાલક પુરઝડપે અને ગફલત ભરી રીતે પોતાની તથા બીજાની જીંદગી જોખમાય તે રીતે ચલાવી (મરણ જનાર) હંસરાજભાઈ ના મોટરસાયકલને ઠોકર મારી હડફેટે લઈ મરણ જનાર હંસરાજભાઈને માથામાં પાછળના ભાગે ગંભીર ઈજાઓ કરી તથા જમણા પગની પેનીમાં તથા ડાબા પડખામાં છોલાણ કરી મોત નિપજાવી ગુનો કરેલ છે.

છાતીમાં દુઃખાવો ઉપડતા યુવાનનું મોત

અહીં મારૂકંસારા હોટલની પાછળ, કનૈયા પાર્ક, વાલ્મીકીવાસ જામનગરમાં રહેતા જયેશભાઈ અમુભાઈ સોલંકીએ સીટી ભએભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૬–૮–ર૦૧૮ના આ કામે મરણ જનાર હરીશભાઈ અમુભાઈ સોલંકી, ઉ.વ.૩૮, રે. મારૂકંસારા હોટલની પાછળ, કનૈયા પાર્ક, વાલ્મીકીવાસ જામનગરવાળાએ પોતે પોતાના ઘરે બાથરૂમમાં બે શુઘ્ધ થઈને પડી જતા અને છાતીમાં ખુબજ દુઃખાવો ઉપડતા સારવારમાં જી.જી.હોસ્પિટલમાં લાવતા ફરજ પરના ડોકટર સાહેબે મરણ ગયેલ જાહેર કરેલ છે.

યુવાનનું મોત

અહીં હર્ષદમીલની ચાલીમાં રહેતા નીલેશભાઈ જીવુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૬–૮–ર૦૧૮ના આ કામે મરણ જનાર રાજદીપસિંહ નીલેશસિંહ જાડેજા, ઉ.વ.રપ, રે. હર્ષદમીલની ચાલી, કોમ્યુનીટી હોલની બાજુમાં, ગુરૂકૃપા પાનની બાજુમાં જામનગરવાળા તળાવની પાળ પાસે, બાલા હનુમાનના મંદિરના સીકયુરીટી રેસ્ટ રૂમમાં કોઈ અગમ્ય કારણોસર રૂમના પંખાના હુક પર નાઈલોનની દોરી વડે ગળાફાંસો બનાવી ફાંસો ખાઈ જતા મરણ ગયેલ છે.

(3:49 pm IST)