Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

વડિયા વિનાયક વિદ્યા મંદિરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

ભારત દેશના ૭રમાં સ્વાતંત્ર્ય પર્વની શ્રી વિનાયક વિદ્યા મંદિર વડિયા દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી. શાળાના ડાયરેકટર (સ્વપ્ન દ્રષ્ટા) ઇન્દ્રરાજ સર, ટ્રસ્ટી વનરાજ સર અને આચાર્ય માધુરીબા ઈન્દ્રરાજસિંહ સિંઘવ દ્વારા ધ્વજવંદન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ત્યાર બાદ શાળાના તમામ વિદ્યાર્થી ભાઇઓ-બહેનો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ સ્ટાફે ખુબ જ મહેનત કરી હતી. (તસ્વીરઃ અહેવાલ-જીજ્ઞેશગીરી ગોંસાઇ વડીયા)

(11:49 am IST)