Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

ધોરાજીનાં ઝાલણસરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

 ધોરાજી : ઝાલણસર ગામ પાસે આવેલ બ્રાઇટ એકેડેમી સ્વામીનારાયણ ગુરૂકુળ દ્વારા ૧પ મી ઓગસ્ટની ભવ્ય ઉજવણી કરાઇ આ તકે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમ અને સ્પર્ધા યોજાઇ અને દેશ ભકતીના ગીતો અને દેશભકતી આધારીક નાટકો રજૂ કરવામાં આવેલ હતાં. અને વર્ષ દરમ્યાન બેસ્ટ કામગીરી કરનારા વિદ્યાર્થીઓને સ્વામીનારાયણના સંતોના હસ્તે શીલ્ડ અને પ્રમાણ પત્રો અપાયા હતા અને આ તકે  બહોળી સંખ્યામાં વાલી ગણ હાજર રહેલ હતાં. ડો. ડી. પી. ચીખલીયા, સંસ્થાના પ્રમુખશ્રી દિલીપભાઇ પાનેલીયા, ટ્રસ્ટી મહેશભાઇ ડોબરીયા, ટ્રસ્ટી તેમજ સ્વામીનારાયણ મંદિરના સંત શ્રી વિશ્વ વિહારીદાસજી, સંતશ્રી શ્રીનિવાસદાસજી તેમજ પૂજારી નરેન્દ્ર સ્વામી તેમજ સંતશ્રી વાસુદેવ સ્વામી સહિતના સંતો હાજર રહેલ હતાં. સફળ બનાવવા સંસ્થાના સ્ટાફે જહેમત ઉઠાવેલ હતી. (તસ્વીર - અહેવાલ : ધર્મેન્દ્ર  બાબરીયા-ધોરાજી) (પ-૧૦)

(11:46 am IST)