Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

લાઠીનાં જરખીયામાં પરસોતમભાઇ સોલંકીના હસ્તે વૃક્ષારોપાણ

 બાબરાઃ લાઠી તાલુકાના જરખીયા ગામે ૧૫ મી ઓગસ્ટ ના દીવસે કેન્દ્ર સરકારના મંત્રી અને અમરેલી જીલ્લાના પનોતા પુત્ર પરસોતમભાઇ રૂપાલા ના હસ્તે જરખીયા ગામે બનાવવામાં આવે છે તળાવ ની પાળે વૂક્ષા રોપણ કરાયું હતું. મોટા ભાગે લીબડાનુ વાવેતર કરવામાં આવેલ હતુ આ કાર્યક્રમમા અમદાવાદના ધારાસભ્ય અને જરખીયાના વતની વલ્લભભાઈ કાકડીયા લેવા પટેલ સ્કુલ ના પ્રમુખ મનુભાઇ કાકડીયા (જરખીયા વાળા) જીલ્લા ભાજપ ના ઉપ પ્રમુખ મયુરભાઇ હીરપરા જીલ્લા કીસાન મોરચાના પ્રમુખ ધનશ્યામભાઇ સાવલીયા ભરતભાઈ સુતરીયા સરપંચ હરેશભાઈ કાકડીયા પ્રવિણભાઈ કાકડીયા સહીત આગેવાનો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. (તસ્વીર.અહેવાલઃ મનોજ કનૈયા.બાબરા)(૨૩.૪)

(11:44 am IST)