Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

બગસરામાં વરુણદેવને મનાવવા 24 કલાકની અખંડ રામધૂન

અમરેલી જિલ્લામાં ઠેરઠેર યજ્ઞો અને રામઘુન સહિતના આયોજનો

રાજ્યમાં ઘણા જિલ્લાઓમાં મેઘમહેર નહીં થતા જગતનો તાત ચિંતીત છે. ત્યારે અમરેલીના બગસરામાં વરુણદેવને મનાવવા 24 કલાકની અખંડ રામધૂનનુ આયોજન કરાયું હતું

   તિરૂપતિ સોસાયટી અને મારુતિ નગરના ભુરિયા હનુમાનજી મંદિરમાં મોટા પ્રમાણમાં લોકોએ રામઘુનમાં જોડાયા હતા.રામધૂન ગાઇ ભક્તિ કરી મેઘરાજાને રીઝવવાનો પ્રયત્ન કર્યો હતો.

   અત્રે ઉલ્લેખનિય છે કે સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા ખેડૂતો સહીતના લોકોની હાલત કફોડી બની છે ત્યારે અમરેલી જિલ્લામાં ઠેરઠેર યજ્ઞો અને રામઘુન સહિતના આયોજનો કરી મેઘરાજાને રીઝવવાનો પ્રયત્ન થઇ રહ્યો છે.

(10:50 pm IST)