Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

ગિરનાર જંગલમાંથી અજાણ્યા યુવાનની કોહવાયેલી લાશ મળી

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામનગર મોકલાયો

જુનાગઢ તા.૧૭ : ભવનાથમાં ગિરનાર પર્વતના ર૦૦૦ પગથિયા પાસેના જંગલમાં અજાણ્યા યુવાનની લાશ પડી હોવાની જાણ થતાં ભવનાથ પોલીસ દોડી ગઇ હતી.

સ્થળ પરથી અજાણ્યા ૪૦ થી ૪પ વર્ષની વયના યુવાનનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો.

જંગલમાં વેલનાથ દાદાની સમાધી નજીકની મળી આવેલી લાશની ઓળખ થઇ નથી તેનું સીડી ઉપરથી પડી જવાથી મૃત્યુ થયાનું અનુમાન છે.

પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે જામનગર ખાતે મોકલી આપી આગળની તપાસ હાથ ધરી છે. (૭.ર૦)

(1:15 pm IST)