Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

બાબરાના અમરાપરામાં બસની ઠોકરે કોળી પ્રોૈઢ રવજીભાઇ વરસડાનું મોત

મિત્રના બાઇક પરથી ઉતરી રોડ પસાર કરતા'તા ને ઠોકરે ચડ્યા

રાજકોટ તા. ૧૭: બાબરાના અમરાપરામાં રહેતાં રવજીભાઇ લક્ષમણભાઇ વરસડા (ઉ.૫૦) નામના કોળી પ્રોૈઢનું બસની ઠોકરે ચડી જતાં મોત નિપજ્યું છે.

જાણવા મળ્યા મુજબ અમરાપરામાં રહેતાં રવજીભાઇ વરસડા ૧૫મીએ સવારે મિત્ર લાભુભાઇ કાનાભાઇ સાથે બજારમાં ગયા હતાં. ત્યાંથી પરત આવતી વખતે પોતાને કામ હોઇ બાબરાના પેટ્રોલ પંપ પાસે મિત્રના બાઇકમાંથી ઉતરીને રસ્તો ઓળંગી રહ્યા હતાં ત્યારે અજાણી બસની ઠોકરે ચડી ગયા હતાં. બાબરા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ રાત્રીના મોત નિપજ્યું હતું.  મૃત્યુ પામનાર ચાર ભાઇ અને એક બહેનમાં નાના હતાં. સંતાનમાં પાંચ પુત્રી અને એક પુત્ર છે. હોસ્પિટલ ચોકીના દેવશીભાઇ ખાંભલા અને દિપસિંહ ચોૈહાણે કાગળો કરી બાબરા પોલીસને જાણ કરી હતી.

(11:48 am IST)