Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

ભાવનગરમાં ત્રીજા માળેથી ઝંપલાવીને દલપતભાઈ મારૂનો આપઘાત

ભાવનગર, તા. ૧૭ :. બોરડી ગેઈટ વિસ્તારમાં પંકજ સોસાયટી પ્લોટ નં. ૧૪માં રહેતા દલપતભાઈ સામતભાઈ મારૂ નામના આધેડ શખ્સે શહેરના વાઘાવાડી રોડ પર આવેલ માધવ દર્શન કોમ્પલેક્ષમાં ત્રીજા માળેથી ઝંપલાવતા ઘટના સ્થળે જ તેનુ કરૂણ મોત નિપજ્યુ હતું. બનાવથી લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા. બનાવની જાણ થતા એ-ડિવીઝન પોલીસ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.

પડી જતા મોત

બોરતળાવ વિસ્તારમાં મફતનગરમાં રહેતા બાબુભાઈ જીવાભાઈ સોલંકી (ઉ.વ. ૬૦) ઘેર ચાલતા પડી જતા ગંભીર ઈજા થતા અત્રેની સર ટી હોસ્પીટલે ખસેડાયેલ. જ્યાં તેનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું.

(11:47 am IST)