Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

ભાવનગર : સર્વોત્તમ ડેરી ૧.૧૫ લાખ વૃક્ષો વાવશે

ભાવનગર : સર્વોતમ ડેરી દ્વારા શ્વેતક્રાંતીની સાથોસાથ હરિયાળી ક્રાંતી થઇ રહી છે. છેલ્લા ત્રણેક વર્ષથી આ સિઝનમા વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણી માટેની નોંધનીય કામગીરી થઇ રહી છે. જે અંતર્ગત આ વર્ષે સર્વોતમ ડેરીએ ૧,૧૫,૦૦૦ વૃક્ષોનુ વાવેતર નકકી કરેલ છે. ચેરમેન મહેન્દ્રભાઇ પનોત, નિયામક મંડળના સભ્યો, મેને.ડીરે. એચ.આર.જોષી, જો. મેનેજીંગ ડીરે. એમ.પી.પંડયા, ડેરીનો અધિકારીગણ તથા મંડળીઓના પ્રતિનિધિઓની વિશાળ હાજરીમાં સર્વોત્તમ ડેરીના મોટા ખુંટવડા ખાતે વૃક્ષારોપણ કરી શરૂઆત કરવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર.

(11:34 am IST)