Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

ભાવનગરમાં અપરણીત કેનાલી પટેલનો આપઘાત

ભાવનગર, તા. ૧૭ :. શહેરના કણબીવાડ વિસ્તારમાં રહેતી કેનાલીબેન યોગેશભાઈ પટેલ (ઉ.વ. ૨૪) નામની ગ્રેજ્યુએટ અને અપરણીત યુવતીએ તેના ઘેર કોઈ અકળ કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા વહોરી લીધી હતી.

દાઝી જતા વૃદ્ધાનું મોત

રૂવાપરી રોડ ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા લીલીબેન શાંતિભાઈ કોળી (ઉ.વ. ૬૦) તેના ઘરે રસોઈ બનાવતા હતા ત્યારે ગંભીર રીતે દાઝી જતા અત્રેની સર ટી હોસ્પીટલમાં ખસેડાતા સારવાર દરમ્યાન તેણીનુ મોત નિપજ્યુ હતું.

(11:30 am IST)