Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

ખેડૂતોનો પાક નિષ્ફળ જતા જસદણ પંથકના ખેડૂતો આજે વચગાળાની રાહત માટે અધિકારીઓને રજુઆત કરશે

જસદણ તા.૧૭: જસદણ તાલુકાના સાણથલી તેમજ આજુબાજુના ગામોમાં વરસાદના અભાવે એક માસ પહેલા કરેલ વાવણી નિષ્ફળ જતા ખેડુતો માટે સંકટના વાદળો છવાયા છે ત્યારે રાજકોટ જીલ્લા પંચાયતના સદસ્ય વિનુભાઇ ધડુકની આગેવાની હેઠળ આજે બુધવારના રોજ સવારે ૧૦-૩૦ કલાકે  સાણથલી ગામે આજુબાજુના ગામોના ગ્રામ્યજનો, ખેડુટીને સાથે રાખીને પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ જીલ્લા ખેતીવાડી અધિકારીઓઓને અસરગ્રસ્ત ખેડૂતોને વચ્ચગાળાની રાહત મળી રહે તે માટેની રજૂઆત કરવામાં આવશે.

(11:30 am IST)