Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

ભાવનગરમાં ૭૦૦થી વધુ ખગોળ રસિકોએ નિહાળ્યુ ચંદ્રગ્રહણ

ભાવનગર, તા. ૧૭ :. અવકાશમાં રોજેરોજ બનતી અનેક અવકાશીય ઘટનાઓ કોઈને કોઈ રીતે દરેકને પોતાના તરફ આકર્ષતી રહી છે. આ ઘટનાઓ પૈકીની મોટા ભાગની ઘટનાઓ નરી આંખે નિહાળવી એ એક અદ્ભૂત લ્હાવો છે. આ દરેક ઘટના પાછળ રહેલુ ખગોળ વિજ્ઞાન સતત આપણને પ્રેરતુ રહ્યુ છે. સુભાષ સરને સ્મરણાંજલિ આપતા તેના જ્ઞાન-રથને ખગોળપ્રેમી સુધી પહોંચાડવા અને લોકોને ખગોળ વિજ્ઞાન તથા તેની સાથે જોડાયેલ રસપ્રદ ઘટનાઓથી માહિતગાર કરવાના હેતુથી કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર ભાવનગર તા. ૧૬ જુલાઈ ૨૦૧૯ને ગુરૂપૂર્ણિમાના દિવસે મધ્ય રાત્રીએ ૧૨.૧૩ કલાકથી સવારના ૬.૦૦ વાગ્યા સુધી તખ્તેશ્વર મહાદેવના મંદિર ખાતે આ વર્ષનું સૌથી મોટું ખંડગ્રાસ ચંદ્રગ્રહણનો ભવ્ય નજારો નિહાળવા માટે ભાવનગર એસ્ટ્રોનોમી કલબ દ્વારા ભાવનગરના બીજા નંબરના સૌથી મોટા ટેલીસ્કોપ 'સુભાષ-૧૨' અને ત્રણ ગેલેલીયન ટેલીસ્કોપ વડે ભાવેણાની ખગોળપ્રેમી જનતા માટે ટેલિસ્કોપ દ્વારા આ ગ્રહણનું નિદર્શન કરાવવામાં આવેલ.

સ્વ. પ્રો. સુભાષભાઈ મહેતાની જ્ઞાન વિચાર શ્રેણી મુજબ ગ્રહણ સાથે રહેલી માન્યતાઓ, શ્રધ્ધાઓ અને અંધશ્રધ્ધાઓ વિશે સચિત્ર વૈજ્ઞાનિક સમજુતી લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર પર હર્ષદભાઈ જોષી દ્વારા આપવામાં આવેલ. ઉપરોકત બન્ને કાર્યક્રમોમાં ૭૦૦થી વધારે ખગોળ રસિકો હાજર રહ્યા હતા.

(11:29 am IST)