Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

ઉપલેટાના ગધેથડ ગાયત્રી આશ્રમે પૂ.લાલબાપુની અધ્યક્ષતામા ગુરૂપુર્ણિમાની ઉજવણી

ઉપલેટાઃ ગામે આવેલ વેળુગંગા ગાયત્રી આશ્રમ ખાતે આજે ગુરૂપુર્ણીમા નિમિતે ગુરૂપુજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતુ. સવારથીજ ગાયત્રી મંદિરના સંત પૂ.લાલબાપુનુ એક એક હજારના સમુહમા વિધિવત પૂજન તેમના શિષ્યો દ્વારા કરવામાં આવેલ હતુ. પૂ.લાલબાપુનો શિષ્ય સમુદાય સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમા મોટા પ્રમાણમા હોય આજ સવારથીજ ગાયત્રી આશ્રમ ખાતે માનવ મહેરામણ ઉમટવાનો ચાલુ થયેલ હતો આ આયોજનના ભાગ રૂપે ૨૦ હજાર જેટલા લોકો આવવાની ગણતરીએ જંગી આયોજન કરવામાં આવેલ હતુ. આજે સવારથી લગભગ-૨૦ હજાર ઉપરાંત ભાવિકોએ પ્રસાદ લીધેલ હતો. આ પ્રસંગે પૂ.લાલબાપુ રાભુભગત દોલુભગત સહિત અનેક ભકતોએ સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી. (તસ્વીરઃ અહેવાલઃ કૃષ્ણકાંત ચોટાઇ-ઉપલેટા)

(11:25 am IST)