Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

વરસાદી આફત : ૩૫૦૦ લોકોનું સ્થળાંતર, ૫ ડેમ છલકાયા, ૧૮૦ ગામમાં વીજળી ગુલ, ૧૮૪ રસ્તાઓ બંધ

ગીર-સોમનાથ, ભાવનગર, જૂનાગઢ, અમરેલી તરબોળ : ગીર-સોમનાથમાં બચાવ કામગીરીમાં જોડાયેલી એનડીઆરએફની ટીમ

અમદાવાદ તા. ૧૭ : ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા વરસાદને કારણે છેલ્લા ૨૪ કલાકમાં ૩૫૦૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વરસાદની પરિસ્થિતિ અંગે માહિતી આપતા રાહત કમિશ્નર મનોજ કોઠારીએ જણાવ્યું હતું કે રાજયના ૩૨ જિલ્લાઓના ૨૦૬ તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદ નોંધાયો છે તેમજ એક માનવ મોત નોંધાયું છે. હાલ નેશનલ, સ્ટેટ અને પંચાયત હસ્તકના મળીને કુલ ૧૮૪ રસ્તાઓ બંધ છે. તો ૧૮૦ જેટલા ગામડાઓમાં વીજળી પુરવઢો બંધ કરવામાં આવ્યો છે. વરસાદને પાણી ઉતરતા જ વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.

છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં ગીર-સોમનાથ, ભાવનગર, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. રાજયમાં ૨૪ તાલુકાઓમાં ૧૦૦ મિલીમીટર એટલે કે ચાર ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. ૫૧દ્મક ૧૦૦ મિલીમીટર વરસાદ નોંધાયો હોય તેવા તાલુકાઓની સંખ્યા ૪૨ છે. જયારે બાકીના તાલુકાઓમાં ૨૬ મિલીમીટરથી ઓછો વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી રાજયમાં ૪૦ ટકા વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં હાલ એનડીઆરએફની ૨૦ ટીમ તહેનાત છે. જેમાંથી આઠ ટીમ સૌરાષ્ટ્રમાં તહેનાત કરવામાં આવીછે. આઠમાંથી ચાર ટીમ ગીર-સોમનાથ જિલ્લામાં તેમજ એક ટીમ જૂનાગઢ, એક અમરેલી એક ભાવનગર અને એક રાજકોટમાં તહેનાત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ચાર ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ ઉપરાંત વલસાડ, નવસારી, વાપી અને સુરતમાં એક-એક ટીમ તહેનાત રાખવામાં આવી છે. ઉત્ત્।ર ગુજરાતમાં મહિસાગર અને અરવલ્લી અને ગાંધીનગર ખાતે એક-એક ટીમ તહેનાત રાખવામાં આવી છે. વડોદરામાં ત્રણ ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

રાહત કમિશ્નરના જણાવ્યા પ્રમાણે રાજયના કુલ ૨૦૩ મોટા ડેમમાંથી પાંચ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે. જયારે ૬ ડેમ ૯૧દ્મક ૯૯ ટકા સુધી ભરાઈ ગયા છે. જયારે ચાર ડેમ ૮૧થી ૯૦ ટકા સુધી ભરાઈ ગયા છે.(૨૧.૩૨)

(4:22 pm IST)