Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ગોંડલમાં બહેનના મોતના આઘાતમાં કવિતાબેન ચૌહાણનો સળગી જઇ આપઘાત

એક વર્ષ પૂર્વે બહેને આપઘાત કરી લીધો'તો : પોતે સમયસર સમજાવવા પહોંચી ગઇ હોત'તો બહેન બચી ગઇ હોત તેવું સતત વિચારતી'તી

ગોંડલ તા. ૧૭ : ગોંડલના આશાપુરા સોસાયટીમાં રહેતા કવિતાબેન જીગ્નેશ ભાઈ ચૌહાણ ઉંમર વર્ષ ૩૦ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે કેરોસીન છાંટી જાત જલાવી આપઘાત કરી લેતા સીટી પોલીસના જમાદાર રફિકભાઈ એરંડિયા એ દોડી જઈ તપાસ હાથ ધરી હતી.

આપઘાત કરનાર કવિતાબેનના કપુરીયા ચોકમાં રહેતા બહેને ૧ વર્ષ પહેલાં કેરોસીન છાંટી આપઘાત કરી લીધો હોય તેના ગમમાં કવિતાબેન પણ ગુમસુમ રહેતા હતા અને મનમાં ને મનમાં વિચાર્યા કરતાં હતા કે જો હું સમયસર તેની પાસે સમજાવવા પહોંચી ગઈ હોત તો તેને બચાવી શકી હોત, બહેનના આપઘાતના ગમમાં કવિતાબેને પણ આપઘાત કરી લીધો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું.

(11:42 am IST)