Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

મોરબીના લખધીરપુર રોડ પર ફેકટરીમાં આગથી દાઝી ગયેલ શ્રમિકનું મોત

તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી

મોરબીના લખધીરપુર રોડ પર ફેકટરીમાં કામ કરતી વેળાએ આગ લાગતા દાઝી ગયેલ શ્રમિક યુવાનનું મોત થયું હોય જે બનાવ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
 મોરબીના લખધીરપુર રોડ પર એન્ટીક માર્બોનેટ પ્રા લીમાં કામ કરતા મનોજકુમાર રમેશભાઈ (ઉ.વ.૨૬) નામનો યુવાન કામ કરતી વેળાએ આગ લાગતા દાઝી ગયો હોય જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હોય જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું છે મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે

(9:51 pm IST)