Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

મોરબીમાં વધુ એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો : મહેન્દ્રનગરના દર્દી અમદાવાદ હોસ્પિટલમાં દાખલ

પંચર દુકાન ધરાવતા વૃદ્ધ અમદાવાદ સારવાર માટે ગયા હોય જ્યાં કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો

મોરબીના મહેન્દ્રનગર ચોકડી ખાતે પંચર દુકાન ધરાવતા વૃદ્ધ અમદાવાદ સારવાર માટે ગયા હોય જ્યાં કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે

  મહેન્દ્રનગર ચોકડી પાસે પંચરની દુકાન ધરાવતા વ્યક્તિને ગત તા. ૩૦-૦૫ ના રોજ હૃદય હુમલો આવતા અમદાવાદ સારવાર માટે ગયા હતા જ્યાંથી પરત આવ્યા હતા અને ત્રણ દિવસ દુકાને રહ્યા બાદ ફરીથી તકલીફ થતા અમદાવાદ સારવાર માટે ગયા હોય જ્યાં કોરોનાના લક્ષણ દેખાતા સેમ્પલ લેવાયા હતા અને રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે ૬૫ વર્ષના વૃદ્ધ અને તેનો પુત્ર સાયકલ પંચર દુકાનમાં રહેતા હતા જેમાં પિતાને કોરોના પોઝીટીવ આવતા પંચર દુકાન ને કન્ટેનમેન્ટ ઝોનમાં ફેરવાશે

(12:40 am IST)