Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

ડોકટરોની હડતાલ તબીબોના સમર્થનમાં કે ભાજપના ? વિરજીભાઇ ઠુંમર

 સાવરકુંડલા, તા. ૧૭: કોંગ્રેસનાં ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે જણાવ્યું છે કે  પશ્યિમ બંગાળમાં એક અનિચ્છનીય અને નિંદનીય ઘટના બની જેનો ભોગ સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા એક જુનીયર ડોકટર બન્યા. સરકારના જડ વલણે આગમાં ઘી હોમવાનું કામ કર્યું ત્યાંના ડોકટર્સ હડતાળ પર ઉતરી ગયા. દર્દીઓના સગાઓ દ્વારા એક તબીબ પર હુંમલો થાય એ માત્ર પશ્યિમ બંગાળ જ નહીં દેશના કોઈપણ ખુણે આ પ્રકારની ઘટનાનું સમર્થન હોઈ જ ના શકે. તબીબ કયાંક લાલચુ હોઈ શકે પણ કાતીલ તો કદીયના હોઈ શકે. કોઈપણ ડોકટર તેના દર્દીને જાણી જોઈને નુકસાન ના જ પહોંચાડી શકે તે સૌ એ સમજવાની જરૂર છે તેવી જ રીતે જમણાના બદલે ડાબો પગ કપાઈ જાય ત્યારે દર્દીના પરિવાર પર શું વીતે તે મેડીકલ કાઉન્સીલ કે એસોસિએશને પણ સમજવાની જરૂર છે.

તબીબોની સંખ્યા ખુબજ ઓછી , સ્ટાફની ખુબ અછત, તબીબી જ્ઞાન ધરાવતા સ્ટાફ, નર્સીસ અને ફાર્માસીસ્ટ નો સરકારી ઉપેક્ષાના કારણે અભાવ, વધુ પડતો કામનો બોજ , આધુનિક સાધનોનો અભાવ આ બધી બાબતોમાં તો સરકાર અને સીસ્ટમનો દોષ છે દર્દીનો નહીં. લડવુ હોય તો સીસ્ટમ સામે લડો પણ સીસ્ટમનો વાંક કાઢી બેદરકારીનો બચાવ તો ના જ કરી શકાય ને...

વિરજીભાઇ ઠુંમરે વધુમાં જણાવ્યુ઼ છે કે  આ હડતાળની પાછળ રમાતી રાજનીતિની ચર્ચા કરવી છે. આ પ્રકારની અનેક ઘટનાઓ તમામ પ્રદેશમાં દ્યટતી રહી છે જેના પરિપેક્ષમાં આ બનાવ કોઈ અલગ કે કયારેય ના બની હોય તેવી વાત નહોતી. હા આ દ્યટનામાં ઇન્ડિયન મેડિકલ અસોસિઓએશ (IMA) નું કુદી પડવું અને રાષ્ટ્રીય સ્તરે તેનો પડઘો પાડી આખાય દેશમાં રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન કરવું એ પ્રથમ વખત બનેલી ઘટના ચોક્કસ છે. ગુજરાત સમેત બીજા પણ કેટલાય રાજયોમાં એસ્મા  કાનુન સામે નતમસ્તક રહેનાર ઈન્ડીયન મેડીકલ એસોસિએશન પશ્યિમ બંગાળમાં  એસ્માઙ્ગ ધારા સામે માથું ઉંચકનાર જુનીયર ડોકટર્સનો સાથ આપવા કેમ તત્પર છે તે સમજાતું નથી.

ભાજપના સાંસદ અનંત હેગડે દ્વારા ત્રણ ડોકટર પર લાત અને મુક્કા ચલાવ્યા બાદ એક હરફ તે માર ખાનાર તબીબો માટે નહીં ઉચ્ચારનાર આઈ.એમ.એ. ને પ.બંગાળના જુનીયર તબીબ પ્રત્યે આટલી અનુકંપા કેમ જાગી તે જાણવું જરૂરી છે. હાલમાં જ આઈ.એમ.એ. દીલ્હીની નજીકની જ રાઉતુલારાવ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામેલ દર્દીના સગાઓ દ્વારા તબીબ પર હુમલો થયેલો, ડી. વાય. પાટીલ મેડીકલ કોલેજમાં હાર્ટએટેક થી મૃત્યુ પામેલ એક દર્દીના સંબંધીઓએ હુમલો કર્યાની દ્યટના પણ તાજી જ છે. જયપુરની સવાઈ માનસિંહ મેડિકલ કોલેજમાં મહીલા ડોકટર પર હુમલો કરાયો હતો. આ અને આવી અનેક ઘટનાઓ સંદર્ભે આઈએમએ કયારેય રાષ્ટ્રીય સ્તરે રોષ ઠાલવતુ નજરે નથી પડ્યું.

ઉત્ત્।ર પ્રદેશના ગોરખપુરની ઓકિસજન કાંડ વાળી દ્યટનામાં સરકારી પોલ ઉદ્યાડી પાડનાર ડો. કફીલ અને ડો. રાજીવ મીશ્રા દંપતિને જેલમાં ધકેલી દેનાર યોગી સરકાર સામે મદદ માટે આઈ.એમ.એ. ને સતત ગુહાર કરનાર આ તબીબોને ન્યાય અપાવવા ઈન્ડીયન મેડીકલ એસોસિએશન કેમ આગળ ના આવ્યું ? ડો. કફીલ અને ડો. મીશ્રા એ એક વરસ જેલમાં રહીને સ્વયંના સંઘર્ષ દ્વારા પોતાને નિર્દોષ સાબિત કરવા પડ્યા ત્યારે આઈ.એમ.એ.ના આ સરકારી મળતીયાઓ કયાં હતા?

અરે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર મંચ ઉપરથી ડોકટરને લુંટારા અને ડરનો વેપલો કરનાર કહ્યા હતા ત્યારે એમનું ડોકટર્સ અને એસોસિએશનનું આત્મસન્માન કયાં ગાયબ થઈ ગયુ હતું ?ઙ્ગ હૃદયરોગના દર્દીને નળીના બ્લોકેજને ખોલવા વપરાતા આઠ હજારના સ્ટેન્ટ બે લાખમાં વેચી ડોકટર્સ લૂંટ ચલાવે છે અને પંદર રૂપીયાની દવા દોઢસોમાં વેચવાનો આરોપ મુકયો ત્યારે ડોકટર્સનું સ્વમાન કયાં ગયું હતું ? ખાલી ગરીબોને રાજી કરવા ડોકટર્સને હંમેશા ભાંડતા નરેન્દ્ર મોદી પાસે મમતા બેનરજીની જેમ માફી મંગાવવાની જીદ કેમ ન્હોતી કરાઈ? તેમ વિરજીભાઇ ઠુંમરે જણાવ્યું છે.

આ તમામ સવાલના અનુત્ત્।રિતઙ્ગ જવાબમાં આઈ.એમ.એ. રાજકીય હાથો બન્યા હોવાની ગંધ આવે છે. આઈ.એમ.એ. કયારેય મેડીકલ શિક્ષણ ની માફીયાગીરી સામે લડત લડતુ નજરે નથી પડ્યું. આઈ.એમ.એ. માં બેઠેલા હોદ્દેદારોએ જ ખાનગી મેડીકલ કોલેજોને ઉદ્યાડી લૂંટ કરવાનો પરવાનો મેળવી લીધો હોય ત્યારે કોઈ બોલે તો ય શું બોલે ? નેતાઓને હંમેશા ગાળો આપનારાઓ ડોકટર ના દીકરા - દીકરીઓ જ મહદંશે ડોકટર બની શકે તેવી ખર્ચાળ સિસ્ટમ સામે કયારેય સવાલ કરતા નજરે નથી પડતા. કરોડો ખર્ચી ડોકટર બનેલા  મની માઈન્ડેડ તબીબોનો એક ફાલ કોર્પોરેટ કલ્ચરના સોહામણા નામ હેઠળ સંવેદના ગુમાવી ચુકયો છે અને બીજી તરફ મધ્યમવર્ગીય હજારો તેજસ્વી તબીબ નાણાના અભાવે પ્રાઈવેટ પ્રેકટીસ નહીં કરી શકતા સરકારી દવાખાનામાં કમને કામ કરી રહ્યા છે. આ બંન્ને સ્થિતિ સમાજ માટે ખતરનાક છે. એક તરફ ડોકટર થવા કરેલા કરોડોના રોકાણનું વળતર મેળવી લેવાની અધીરાઈ ધરાવનારાઓ છે તો બીજી તરફ યોગ્યતા છતાં આર્થિક સંકડામણે ફીકસ પગારમાં કામ કરનારાઓની હતાશા છે.આ બંને તરફની ગુંગણામણમાં સેવા શબ્દ લુપ્ત થતો ગયો છે અને વ્યવસાય હાવી થઈ રહ્યો છે. આમ ને આમ ચાલશે તો અંતમાં શ્રી ઠુમરે તબીબી સેવા જે શબ્દ વપરાય છે તેની જગ્યાએ લોકો  તબીબી વ્યવસાય ગણવા લાગશે તેમ વિરજીભાઈ ઠુમ્મર ધારાસભ્ય પૂર્વસંસદએ જણાવ્યું છે.

(3:59 pm IST)