Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

વાવાઝોડાને લઇને કંડલા પોર્ટ વહીવટીતંત્ર સતર્કઃ કંટ્રોલરૂમ કાર્યરતઃ તમામ જેટીઓ પર જહાજનું બર્થીગ

અમદાવાદ તા.૧૭: વાયુ વાવાઝોડાએ યુટર્ન લીધો છે ત્યારે વાવાઝોડાને લઇને કંડલા પોર્ટ પ્રશાસન સતર્ક બન્યું છે. સિગ્નલ સ્ટેશન પર કંટ્રોલરૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે હવામાન વિભાગના નિર્દેશ મુજબ કામગીરી કરવામાં આવી છે. હાલમાં પોર્ટ પર કામગીરી કરવામાં આવી રહી છે. તમામ જેટીઓ પર જહાજનું બર્થીગ પણ કરવામાં આવ્યું છે.

વાયુ વાવાઝોડાની અસરને લઇ દ્વારકાની ગોમતી નદીમાં કરંટ જોવા મળ્યો હતો. હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે સાથે જ ઠંડી હવાનું જોરગ પણ યથાવત છે. કોઇ યાત્રાળું દરિયામાં ન જાય તે માટે ગોમતી ઘાટ પર પોલીસ જવાનો પણ તૈનાત રખાયા છે.

(3:21 pm IST)