Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

પોરબંદરના દરિયામાં ભારે કરન્‍ટઃ મોજા સાથે તણાયેલા પથ્‍થરોના ટુકડા રોડ ઉપર વેરાયા

દરીયા કાંઠા ઉપર લોકોની અવરજવરનો પ્રતિબંધ વધુ ૬ દિવસ સુધી લંબાવાયો

પોરબંદર, તા., ૧૭: દરીયામાં હજુ ભારે કરન્‍ટ રહયો છે. કાંઠે ૩ મીટર મોજા ઉછળી રહેલ છે. દરીયામાં તણાયેલા પથ્‍થરોના ટુકડા મોજા ઉછળતાની સાથે રોડ સુધી આવી જાય છે. બંદર કાંઠે ર નંબરનું સીગ્નલ છે.

ચોપાટી સહીત દરીયા કાંઠા ઉપર લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ વધુ ૬ દિવસ તા.રર સુધી લંબાવવામાં આવ્‍યો છે. બે દિવસ પહેલા વ્‍હોરાવાડા દરીયા કાંઠે પથ્‍થરના બેલા તણાઇ ગયેલ. જેના ટુકડા ઇન્‍દ્રેશ્વર મંદિર કાંઠે ઉછળતા ભારે મોજા સાથે રોડ સુધી વેરાઇ જતા જોવા મળે છે. દરીયામાં ભારે કરન્‍ટને લીધે આવુ બને છે. શહેરમાં એનડીઆરએફ અને આર્મીની રેસ્‍કયુ ટીમને હજુ ખડેપગે રાખવામાં આવેલ છે.

(2:02 pm IST)