Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

કલકતા હુમલાના વિરોધમાં જુનાગઢમાં ખાનગી તબીબોની હડતાલ

જુનાગઢ તા.૧૭: કલકતા હુમલાના વિરોધમાં આજે સવારથી જુનાગઢમાં ખાનગી તબીબો હડતાલ પાળતા દર્દીઓ પરેશાનીમાં મુકાય ગયા છે.

કલકતામાં ડોકટર પર થયેલા હુમલાના વિરોધમાં આજે દેશવ્યાપી તબીબોની હડતાલનું એલાન હોય જેમાં જુનાગઢના ખાનગી તબીબો જોડાયા છે.

જુનાગઢમાં ૨૫૦ જેટલા ખાનગી ડોકટરો સવારથી હડતાલ પાળીને રોષ વ્યકત કરી રહ્યા છે જો કે આ તબીબોએ જરૂર પડયે સિવીલ હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર આપવાની ખેલદિલી દર્શાયી છે.

(1:54 pm IST)