Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

આ છે જામનગરનું સ્વર્ણીમ સર્કલ

 ક્રિકેટ બંગલા અને પંચાયત ભવન સામે આવેલ સ્વર્ણીમ સર્કલ ફાઉન્ટેન બગીચો આજે ભેંકાર ભાસી રહ્યો છે. એક સમયે શિવજટાના જાજરમાન વૃક્ષોથી શોભી રહેલ આ સર્કલ આજે ભેંકાર વસી રહ્યુ છે. હાલમાં વૃક્ષારોપણ માટે અભિયાન ચલાવાઇ રહ્યા છે. બીજી તરફ મહાનગર પાલિકાથી તદન નજીક આવેલ આ સર્કલની જાળવણીનો તદન અભાવ છે. ફુવારા બંધ છે તો તમામ વૃક્ષો સુકાઇને પડી રહ્યા છે. શહેરના એકમાત્ર આ સર્કલમાં આવા વૃક્ષો આવેલા હોય પર્યાવરણ પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઇ છે. જે તે સમયે જાહેર થતી યોજનાઓમાં દાતાઓના દાનથી બનતા આવા સર્કલ અને ગાર્ડનોની મનપા દ્વારા જાળવણી પણ કરવામાં ન આવતી હોવાથી અંતે દાતાઓનુ દાન પણ એળે જાય છે. એક તરફ સરકાર લોક ભાગીદારીથી વિકાસની વાતો અને યોજનાઓ કરે છે બીજી તરફ સરકારી તંત્રો જ જાળવણીમાં નિષ્ફળ નિવડે છે. (તસ્વીર : વિશ્વાસ ઠકકર)

(12:11 pm IST)