Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

સોમનાથમાં વાયુ-વાવાઝોડા સ્થળાંતરીત અસરગ્રસ્તોને માટે મેડીકલ કેમ્પ યોજાયો

પ્રભાસ પાટણ તા.૧૭: પથવિજય ભગવાન ધર્મચક્ર ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા સોમનાથ ખાતે આવેલ પ્રાતઃ સ્મરણીય પૂજય ડોંગરેજી મહારાજ અન્ન ક્ષેત્ર ખાતે આજે મેડીકલ કેમ્પ યોજાયો હતો.

જેમાં વાયુ વાવાઝોડા સંભવીત અસર કારણે સ્થળાંતર કરાયેલ પરિવારો-યાત્રિકોનું ફ્રી મેડીકલ ચેકઅપ તથા વીનામુલ્યે દવા વિતરણ સાથે દર્દીઓને - જરૂરતમંદોને ફ્રી દવાઓ આપવામાં આવી હતી.

ટ્રસ્ટના વજુભાઇ પારેખ, ડો.હિંમત વોરા, ડો.બાલુભાઇ કાછડીયા તથા ભીમજીભાઇ પટેલ કે જેઓ પૂર્વ સ્થાયી સમિતી-ચેરમેન સુરતના ડોકટરોએ ભાગ લીધો હતો.સોમનાથ ખાતે પૂજય ડોંગરેજી મહારાજ અન્નક્ષેત્રના કાનજીભાઇ દોરીયા સોમનાથ ટ્રસ્ટ અધિકારી સુરૂભા જાડેજા તથા પાટણ પોલીસ વિભાગના પી.એસ.આઇ. તેમજ પોલીસદળના વિરેન્દ્રસિંહ ઉપસ્થિત રહી સાથ સહકાર આપી ઉપયોગી બન્યા હતા.

(12:10 pm IST)