Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

વિરમગામના અદાલતપુરામા વિજશોકથી પિતા-પુત્રના મોત

મકાનના છાપરાનુ કામ કરતી વખતે દુર્ઘટના સર્જાઇઃ પટેલ પરિવારમા અરેરાટી

વઢવાણ તા.૧૭: વિરમગામ તાલુકાના અદાલત પુરાગામે પિતા પુત્ર પતરાના છાપરાનુ ચોમાસાની સિઝનને લઇને સમાર કામ કરતા હતા ત્યારે અચાનક પતરાના છાપરામાં વિજ પ્રવાહ આવતા શોક લાગતા કામ કરી રહેલા પિતા પુત્ર બન્નેના ઘટના સ્થળ ઉપર જમોત નિપજતા પટેલ પરીવારમા ભારે વ્રજઘાત સાથે શોકનો માહોલ છવાઇ જવા પામ્યા છે.

વિરમગામ તાલુકાના અદાલતપુરા ગામ ખાતે પટેલવાસમાજ સયુકત પરીવારમા રહેતા જીવરામભાઇ શંકરભાઇ પટેલ ઉ.૮૫ અને રસિક જીવરામભાઇ પટેલ ઉ.વ.૬૦ ખેતીકામ કરી પરીવારનુ ગુજરાન ચલાવતા હતા. પિતા-પુત્ર ચોમાસાને ભઇન મકાનના પતરાના છાપરાનું કામ કરતા હતા ત્યારે વિજ કરંટ લાગતા આ બન્ને પિતા પુત્રના મોત નિપજવાના ઘટના બનવા પામેલ છે.

ત્યારે બાજુના થાંભલાના પસાર થતા વાયરોમાંથી કરંટ આવતા ઘટના બનેલ હોવાનો અંદાજ લગાવાઇ રહ્યોછે પટેલ પરીવારમાં પિતા પુત્રના મોતથી શોકનો માહોલ છવાઇ જવા પામ્યો છે.

(11:57 am IST)