Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

મોરબીના વનાળીયા ગામે ઝેરી દવા પી લેનાર ચેતનભાઇનું મોત

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૧૭:  મોરબીના વનાળીયા ગામે યુવકે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા  તેનું સારવાર દરમિયાન મોત થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર વનાળીયા ગામે રહેતા ચેતનભાઇ પ્રભુભાઇ કુનતીયાએ ગઇ તા-૦૭/૦૫ ના રોજ પોતાના ઘરે કપાસમાં છટવાની ઝેરી દવા પી લીધી હતી. જેથી તેને પ્રથમ સારવાર આયુષ હોસ્‍પિટલ મોરબી બાદ વધુ સારવાર સરકારી હોસ્‍પિટલ રાજકોટ ખાતે ખસેડવામા આવ્‍યો હતો. જય તેનું ચાલુ સારવાર દરમ્‍યાન મોત થયું છે. હાલ મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:33 pm IST)