Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

ઉનામાં નૃસિંહ ભગવાન જયંતિની ઉજવણી

ઉના : વિષ્‍ણુ ભગવાનનો અવતાર નૃસિંહ ભગવાનની જયંતિ નિમિતે ઉનામાં આવેલ પૌરાણીક દામોદરાયજીની હવેલીમાં નૃસિંહ ભગવાનનો પ્રાગટય ઉત્‍સવ ઉજવાયો  હતો. મંદિરના પુજારીએ પૂજનવિધી કરી હતી પછી પુજારીએ નૃસિંહ ભગવાનની વેષભૂષા પહેરી અને આરતી બાદ મંદિરના પરિસરમાં ફરી સૌને આર્શિવાદ આપેલ અને હિરણકશીપુનો વધ કરી અસુરો રાક્ષસના ત્રાસથી પૃથ્‍વીને મુકત કરાવી હતી. નૃસિંહ ભગવાન જયંતિ પૂજન અર્ચનાની તસ્‍વીર.

(11:48 am IST)