Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

કાશીમાં બિરાજતા પૂ.વૈષ્‍ણવાચાર્ય શ્‍યામ મનોહરજી મહારાજની ઉપલેટા વ્રજભુવન હવેલીએ પધરામણી

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા,તા. ૧૭ : પુષ્‍ટિ માર્ગીય વૈષ્‍ણવોમાં જેમનું ખૂબ જ મોટુ નામ છે ઉપલેટા વ્રજભુજન હવેલીવાળા કાશી બિરાજતા પૂ.શ્‍યામ મનોહરજી બાવાશ્રીખ તથા તેમના લાલ પૂ. પ્રિયેન્‍દુબાવાશ્રી ઉપલેટા હવેલીમાં પધારતા વૈષ્‍ણવોમાં ભારે ઉત્‍સાહ છવાયેલ હતો.

આપશ્રીએ વૈષ્‍ણવોને બ્રહ્મસંબંધનો લાભ આપેલ તેમજ બપોરે રાજભોગ દર્શનમાં મોતીના બંગલા આરતી અને શયન દર્શનમાં નૃસિંહ જયંતિ નિમીતે પંચામૃત અને તિકલ દર્શન કિર્તન આરતીમાં પણ પધારેલ જેમાં બન્‍ને દર્શનોમાં મોટી સંખ્‍યામાં વૈષ્‍ણવ ભાઇ-બહેનો ઉપસ્‍થિત રહ્યા હતા. તેમજ વૈષ્‍ણવોને ઘેર પણ પધરામણી કરેલ હતી. (તસ્‍વીરઃ ભોલુ રાઠોડ-ઉપલેટા)

(12:30 pm IST)