Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

૨૭ કલાકમાં જૂનાગઢમાં ૧૮૪ સહિત જિલ્લામાં ૪૧૧ નવા કેસ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ : જિલ્લામાં કોરોના થાકયો હોય તેમ એક જ દિવસમાં નવા ૪૧૧ કેસ સામે ૩૦૯ દર્દીએ કોરોનાને માત આપી હતી.

જિલ્લામાં તા. ૧૩ મે ના રોજ એક ૮૦ દિવસમાં રેકોર્ડ બ્રેક ૫૭૨ કેસ નોંધાયા બાદ છેલ્લા ત્રણ કોરોનાની ગતિ મંદ પડી છે.

તા. ૧૪ના રોજ ડેઇલી કેસ ઘટીને ૪૯૭, તા. ૧૫નાં રોજ ૪૩૩, અને ગઇ કાલ તા. ૧૬ના રોજ ૪૧૧ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતા.

આમ ત્રણ દિવસથી કોરોનાની રફતાર આગળ વધતી અટકી છે. રવિવારે જિલ્લાના ૪૧૧ કેસ પૈકી જૂનાગઢના ૧૮૪ કેસ હતા.

જો કે રવિવારે એક જ દિવસમાં કુલ ૯ કોવિડ દર્દીને અંતિમ શ્વાસ લીધા હતા જેમાં જૂનાગઢ સીટીના ૪, તેમજ જૂનાગઢ ગ્રામ્ય, કેશોદ, માણાવદર, મેંદરડા, અને વિસાવદર એક-એક દર્દીને કોરોના વરણી ગયો હતો.

સદનસીબે રવિવારે ૨૪ કલાકમાં ૩૦૯ દર્દીને કોરોનાને પરાજય આપવામાં સફળ થયા હતા.

જેમાં જૂનાગઢના ૧૦૬, જૂનાગઢ રૂરલ ૮, કેશોદ-૭૧, માણાવદર -૩૭, વંથલી -૩૦ અને ભેંસાણ, માંગરોળ અને વિસાવદરના એક -એક દર્દીએ સ્વસ્થતા મેળવી હતી.

બીજી તરફ કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા ૪૩૨ અને ઘરોની સંખ્યા ૪૪૯ છે અને ૩૨૧૫ લોકો કન્ટેનમેન્ટ ઝોનની કેદમાં છે.

જુથળના પ્રખર ગૌસેવક કોરોના સામે હારી ગયા

માળીયાહાટીના : જુથળ ગામની ગૌમાતાના નિભાવ માટે કામ કરતી ગૌશાળા કાયમી ઉપયોગી થતા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા વર્ષોથી ગૌમાતા માટે અમૂલ્ય સેવા આપનાર રમેશભાઈ તળાવિયા તથા ગામના અનેક લોકો ઉપયોગી મંડળોમાં પ્રામાણિક અને નિષ્ઠા વન વર્ષોથી સેવાઓ આપતા આવ્યા છે. ગામના તમામ સમાજના પરિવારમાં જબરી લોકચાહના પ્રાપ્ત કરી હતી ગામના લોકપ્રિય કર્મઠ યુવા ગૌ સેવક ના દુઃખદ અવસાનના સમાચાર ગામમાં આવતા આખા ગામમાં ભારે અરેરાટી સાથે આખું ગામ શોકમાં ડૂબી ગયું હતું. આખા પંથકની ગૌમાતા માટે અમૂલ્ય સેવા આપનાર પ્રખર ગૌ સેવકને કોરોનામાં ગુમાવ્યાનો વસવસો વ્યકત કરી ગામના તમામ સમાજના અગ્રણીઓએ રમેશભાઈ તળાવિયાને શ્રદ્ઘાંજલિ આપી.

ગીર જિલ્લા પંચાયતના સદસ્યનું કોરોનાના લીધે મોત

પ્રભાસ પાટણ : માથાસુરીયા ગામના વતની અને ગીર સોમનાથ જિલ્લા પંચાયતના વેરાવળ ની ગોવિંદપરા જિલ્લા પંચાયતના સીટીમા વિજેતા થયેલા સદસ્ય કાળાભાઈ રાજાભાઈ મકવાણાનુ કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજયું હતું જેઓના મોતથી શોકનુ મોજુ ફરી વળ્યું હતું તેઓ તા ૮ મે ના રોજ કોરોનાની વૈશ્વિક મહામારીને લઈને પોતાના જીલ્લા પંચાયત વિસ્તારમાં આવતા ગોવિંદપરા પી એસ સી અને પંડવા પી એસ સી મા બંને પી એસ સીમા ઓકીસજન તેમજ દવાઓ માટે ૩૫૭૦૦૦ જેટલી રકમ ફાળવી હતી.

(1:05 pm IST)