Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વાવાઝોડાનો કરંટ શરુ : પોરબંદર ઓખા સહિત બંદરો ઉપર ચાર નંબરનું સિગ્નલ : પવનનું જોર વધ્યું : વરસાદના પણ મંડાણ

રાજકોટ તા ૧૬ , રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વાવાઝોડાની આગાહીના પગલે  વાતાવરણમાં પલટો આવ્યો છે. અનેક જગ્યાએ જોરદાર પવન સાથે વરસાદ વરસ્યો છે.

      જામનગરમાં પણ આજે પવન સાથે વરસાદ વરસ્યો છે અને વીજળીના ચમકારા પણ થઈ રહ્યા છે.

         પોરબંદર અને ઓખા બંદર ઉપર બે નંબરના બદલે હવે ચાર નંબરના સિગ્નલ મૂકવામાં આવ્યા છે અને માછીમારોને ચેતવણી આપવામાં આવી રહી છે.

        આજે સવારથી અસહ્ય ઉકળાટ બાદ સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કોઈ જગ્યાએ ભારે તો કોઈ જગ્યાએ હળવો વરસાદ વરસ્યો છે રાજકોટમાં પણ અત્યારે રાત્રિના નવ વાગે પવનના જોરદાર સૂસવાટા ફૂંકાઇ રહ્યા છે. અને વીજળીના ચમકારા પણ થઈ રહ્યા છે. 

(9:15 pm IST)