Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

મીઠાપુરના કવિયત્રી ભગવતીબેન અમદાવાદ મેરેથોન કવિ સંમેલનમાં ઝળકયા

મીઠાપુર, તા. ૧૭ :. અમદાવાદના દેશી લોહાણા વિદ્યાર્થી ભવન કાંકરિયા ખાતે એક વિશાળ મેરેથોન કવિ સંમેલન યોજાયુ હતું. આ કવિ સંમેલન સવારે ૮ વાગ્યાથી લઈને રાત્રે ૮ વાગ્યા સુધી ચાલ્યું હતું અને આશરે ૧૨ કલાક ચાલનારૂ આ ગુજરાતનું પ્રથમ કવિ સંમેલન કહીએ તો પણ અતિશયોકિત ના ગણાય.

આ ઉપરાંત આ કવિ સંમેલનમાં ૧૦૦ જેટલા કવિઓએ ભાગ લીધો હતો અને તેમાં પણ મીઠાપુરના કવિયિત્રી શ્રીમતી ભગવતીબેન ઈશ્વરભાઈ પંચમતિયા કે જે રોશનીના ઉપનામથી ઓળખાય છે તે પણ પોતાની લખેલી કૃતિ રજૂ કરી ત્યાં ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

તોફાની તાંડવ દ્વારા આયોજીત આ કવિ સંમેલનના પ્રણેતા જીગરભાઈ ઠક્કર દ્વારા ખૂબ જ શાનદાર આયોજન કરવામાં આવ્યુ હતુ. મીઠાપુરના કવિયિત્રી શ્રીમતી ભગવતીબેને મીઠાપુર અને પોતાના પરિવારને ચાર ચાંદ લગાડી દીધા છે.

(10:14 am IST)