Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

કવિ રમેશ પારેખની પુણ્યતિથી નિમિતે રવિવારે અમરેલીમાં કાવ્યાંજલી કાર્યક્રમ

મારે મોભા રે કાગડા બોલ્યા, બોલ્યા સવારમાં મે તો ઝપ લઇ પોપચા ખોલ્યા, ખોલ્યા સવારમાં

અમરેલી તા.૧૭ : યુગ પ્રવર્તક કવિશ્રી અને અમરેલીના પનોતા પુત્ર શ્રી રમેશ પારેખની આજે પુણ્યતિથી છે. તેમની પુણ્યતિથી નિમિતે અમરેલીમાં તા.૨૦ને રવિવારે સાંજે પ થી ૭ દરમિયાન કવિગુરૂ નવલકાંત જોશી સ્મૃતિ મંદિર, સુખ નિવાસ રોડ, લીલીછમ વેલી અમરેલી ખાતે કવિશ્રી રમેશ પારેખને ઉષ્માસભર કાવ્યાંજલી અર્પવા રમેશ સભા યોજાશે.

આ તકે કવિ રમેશ પારેખનાં લોક ઢાળના ગીતોને લોક-લય, લોક-સ્વરાંકન અને લોક-સંગીતમાં પરિવર્તિત કરીને લોક - ગાયકોને જ કંઠે તેનું ગાન થશે. આ તકે અમેરિકાના અનુપમ આશિષ - વર્ષા, પ્રતાપભાઇ પંડયા, કવિ હર્ષદ ચંદારાણા, ઉમેશ જોશી, પરેશ મહેતા, રસીલાબેન રમેશભાઇ પારેખ, ભરત અગ્રાવત, ગૌરીબહેન પરમાર, પ્રભાબહેન પરમાર, સોનલબેન ત્રિવેદી, સુરેશ શેખ અને વૃંદ ઉપસ્થિત રહેશે.

આ પ્રસંગે ઉપસ્થિત રહેવા સંવાદના પંકજભાઇ પી.જોશી, લોકસાહિત્ય સેતુના મહેન્દ્રભાઇ જોષી, રમેશ સભાના સ્વાતિબહેન જોશીએ આમંત્રણ પાઠવ્યું છે.

(4:03 pm IST)