Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

સાયલા પાસે ગોઝારો અકસ્માતઃ કાર પલ્ટી જતા પિતાની નજર સામેજ પુત્ર-ભાણેજના મોત

ઉંઝાના વેપારી ઓમજીભાઇ ધંધાર્થે કેશોદ જઇ રહ્યા હતાઃ કાર ડીવાઇડર સાથે ધડાકાભેર અથડાતા પુત્ર અશોક ત્થા ભાણેજ અંશુના કરૂણ મોત

વઢવાણ તા.૧૭: ઉંઝાથી કેશોદ કારમાં જતા પિતા ઓમજી કુબાવત પુત્ર અશોકભાઇ અને ભાણેજ જઇ રહ્યા હતા ત્યારે કારના ચાલકે અચાનક સ્ટેયરીગ કાબુ ગુમાવી ડીવાઇ સાથે ધડકારભેર અથડાઇને પલટી મારી જતા પિતાની નજર સામેજ પુત્ર અશોકભાઇ અને ભાણેજ અંશુના મોત નિપજતાં પરિવારમાં આક્રંદ છવાયુ હતુ.

બનાવની વિગતો મુજબ ઉંઝા ગામે રહેતા ઓમજીભાઇ તલની ધાણીના સ્પેર પાર્ટસના વેપારી છે તેઓ ધંધાના કામ અર્થેકાર લઇને કેશોદ જઇ રહ્યા હતા તેમની સાથે પુત્ર અશોકભાઇ તેના પુત્ર ઋષભ અને પુત્રી અનિષા તેમજ એમ.પી.થી વેકેશન માટે આવેલા ભાણેજ દક્ષીત અને અંશુ સાથે હતા બપોરના રામપે હોટલમાં જમીને આગળ વધતા આપા ગામપાસે અશોકભાઇએ કારના સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કારના ડીવાઇડર સાથે ધડાકાભંર અથડાઇને પલટીમારી ગઇ હતી. જેમા કાર ચલાવતા પુત્ર અશોક ભાઇ અને ૧૩ વર્ષીય ભાણેજ અંશુ  ઓમજી કુમાવતની નજર સામેજ પુત્ર અને ભાણેજ કારની બહાર નીકળી ગયા હતા. અને માથુ ચકદાઇ જતા ઘટના સ્થળે અશોક ભાઇ અને અંશુના મોત થયા હતા. આ બાબતની સાપલા પોલીસને જાણ તથા ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બન્ને મૃતદેહોને પીએમ માટે સાપલા દવાખાને લઇ જવામાં આવ્યા હતા સામાન્ય ઇજા પામેલા પિતા ઓમજી અને અશોક ભાઇના દિકરા દિકરી અને ભાણેજને પ્રાથમિક સારવાર આપવામાં આપી હતી આ અકસ્માતની જાણ થતા ઉંઝાના વેપારીઓએ સાયલાના વેપારીઓનો સંપર્ક કરતા સાયલાના વેપારીઓ મદદે દોડી ગયા હતા.

પ્રૌઢે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી

વઢવાણઃ સુરેન્દ્રનગર-રાજકોટ હાઇવે પર ખેરાળી ગામ પાસે પેપર મીલ આવેલી છે આ પેપરમીલ પાછળ છાપરામા રહેતા ૪૦ વર્ષીય ગીરધનભાઇ વશરામભાઇ અણીયાળી પાસે અગમ્ય કારણીસર પોતાના ઘરે ૧૩મીમેના રોજ દોરડા વડે ગળેફાસો ખાઇ આત્મહત્યા કરી લેતા આ અંગે જોરાવનાર પોલીસ મથકે ભુદરભાઇ વશરામભાઇ અણીયાળીએ જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ બીજે સોલંકી ચલાવી રહ્યા છે.

(11:34 am IST)