Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

ભુજમાં મુખ્યમંત્રીની મુલાકાત પૂર્વે તબીબી અસુવિધાના મુદ્દે દેખાવ કરનાર કોંગ્રેસી આગેવાનોની અટકાયત

કોરોના માટે બેડ, ઓકસીજન, વેન્ટિલેટર, ઈન્જેકશન સહિતની અછતથી દર્દીઓના મોત નીપજતાં હોવાનો આક્ષેપ

ભુજ : ભુજ આવેલા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની મુલાકાત પૂર્વે જિલ્લા ની મુખ્ય કોવીડ હોસ્પિટલ સહિત કચ્છ જિલ્લામાં બેડ, ઈન્જેકશન, ઓકસીજન, વેન્ટિલેટર ની અછતના મુદ્દે દેખાવો કરનાર કોંગ્રેસી આગેવાન રફીક મારા  ઉપરાંત આઇસુબેન સમા, માનસી શાહ, રસિકબા જાડેજા સહિતના કોંગ્રેસી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. તબીબી અસુવિધા ના કારણે કોરોના ના દર્દીઓના મોત નીપજતાં હોવાનો કોંગ્રેસી આગેવાનોએ આક્ષેપ કર્યો હતો.

(5:41 pm IST)