Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

જૂનાગઢ ઉપલા દાતાર ની જગ્યાં માં આગામી તા૩૦ સુધી તમામ દર્શનાર્થી ઓ માટે દર્શન બંધ રહેશે

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ તા.૧૭ ઉપલા દાતારની પહાડ ઉપર આવેલી ધાર્મિક જગ્યા હાલ માં ચાલી રહેલી કોરોના મહામારી ને રોકવા અત્યારે જ્યારે તમામ ધર્મ સ્થાનો એ દર્શન બંધ કરેલ હોઈ ઉપલા દાતારની જગ્યા ના મહંત શ્રી ભીમ બાપુ અને સેવક સમુદાય એ હાલ ના સંજોગો માં કોરોના મહામારી થી સંક્રમણ ના ફેલાઇ તે માટે આજ થી ઉપલા દાતાર ની જગ્યા માં તમામ ભાવિકો માટે દર્શન બંધ કરાયા છે તો સર્વે ભાવિકો એ નોંધ લેવા એક યાદી માં જણાવાયું છે

(1:11 pm IST)