Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

સ્વૈચ્છિક બંધને જબરદસ્ત પ્રતિસાદ ત્રિ-દિવસીય સ્વૈચ્છીક બંધના બીજા દિવસે જામનગર શહેરમાં બંધને સફળતા

જામનગર : કોરોના વાયરસના સંક્રમણની ચેઇનને તોડવા માટે જામનગર વેપારી મહામંડળ સહિતની સંસ્થાઓ દ્વારા શુક્ર-શનિ-રવિવારના ત્રિ-દિવસીય સ્વૈચ્છીક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. આ સ્વૈચ્છીક લોકડાઉનના બીજા દિવસે શહેરના વેપારીઓએ સારો એવો પ્રતિસાદ આપ્યો છે. અને પોતાના ધંધા-વેપારને બંધ રાખી આ કોરોનાના ચેઇનને તોડવા માટે મહત્વનું યોગદાન આપ્યુ છે. ત્યારે શહેરના ઘણા વિસ્તારોમાં બંધની તસ્વીરો. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર : નિર્મલ કારિયા)

(12:54 pm IST)