Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

વેરાવળના આજોઠામાં ડો.આંબેડકર જયંતિ ઉજવાઇ

 પ્રભાસપાટણઃ વેરાવળ તાલુકાના આજોઠા ગામે બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૨૮મી જન્મ જયંતિ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવેલ હતી આ તકે ઉપસ્થિત અગ્રણીઓએ ડો. બાબાસાહેબનાં જયઘોષ સાથે પૂષ્પો અર્પણ કરી અને વંદન કરેલ હતા. સરપંચ વિરાભાઇ ભજગોતર, જિ.પં.ના પૂર્વ ઉપપ્રમુખ મેરૂભાઇ પંપાણીયા, જી.એચ.સી.એલ. યુનિયનનાં પ્રમુખ મેણસીભાઇ બારડ, ઉપસરપંચ ભૂપતભાઇ સોલંકી, લગ્ન ઉત્સવ સમિતિનાં પ્રમુખ જેઠાભાઇ ભજગોતર, જીવાભાઇ  ભજગોતર,આલાભાઇ ભજગોતર, ગોવિંદભાઇ ભજગોતર, રામસીભાઇ સોલંકી પટેલ (રાજ કન્સ્ટ્રકશન), ભરતભાઇ, રામભાઇ વાણવી, સામાજીક ન્યાય સમિતિનાં અધ્યક્ષ દેવરાજભાઇ ભજગોતર સહિત લોકોએ હાજરી આપી અને આ મહામાનવની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવેલ તે તસ્વીર.(તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ, પ્રભાસ પાટણ

(3:04 pm IST)